ભરૂચ: ઝઘડિયામાં ચોર ટોળકીની અફવા વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર

ઝઘડિયામાં ધોળે દાડે બાઈક સવાર લૂંટાયો, બે અજાણ્યા લૂંટારૂઓએ લૂંટને આપ્યો અંજામ, નોકરી પર જતા યુવકને છરો બતાવી લૂંટ કરી.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશ જગદીશભાઇ પટેલ ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે  નોકરી કરે છે. તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઇને રાજપારડી થી કરાર થઇને નોકરીએ જવા નીકળ્યા હતા,તેઓ કરાર નજીકથી પસાર થતા હતા, તે દરમિયાન કરાર ગામના ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઇને  ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશે બાઈક ઉભી કરી દીધી હતી.

Advertisment

ત્યારબાદ તે લૂંટારુઓએ કલ્પેશના ગળા નજીક હથિયાર મુકી દેતા કલ્પેશ પટેલ ગભરાઇ ગયા હતા.અને લૂંટારૂએ સોનાની ચેન અને બે વીંટી મળી અંદાજીત રૂપિયા 1.50 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.લૂંટનો ભોગ બનનાર કલ્પેશ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં કલ્પેશ પટેલે અજાણ્યા લૂંટારૂઓએ ટીશર્ટ અને લૂંગી પહેરેલ હતી અને હિન્દી ભાષા બોલતા હોવાનું વર્ણન કર્યું હતું.પોલીસે તેઓની ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment