ભરૂચ : નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફના અભાવે MLA ચૈતર વસાવાનો હલ્લાબોલ..

ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફ ના અભાવે ડેડીયાપાડાના આપના MLA ચૈતર વસાવા હલ્લાબોલ કર્યો હતો.

ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપુરતા સ્ટાફના અભાવે આહિ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી અને એક્શ-રે મશીન તો છે. પરંતુ તેને ઓપરેટ કરનાર કાયમી ટેકનીશિયન નથી. એટલું જ નહીં3 ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે. એક ડોક્ટર દ્વારા દર્દીઓની સારવાર કરાય છે. જાનહાની-ઘટના સર્જાય તો સ્વીપરને વાલીયા-અંકલેશ્વરથી લાવવા અને મુકવા જવું છેજેના કારણે કલાકો સુધી મૃતદેહ રઝળે છે.

તેવી રજૂઆત ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં કોંગ્રેસના શેરખાન પઠાણ અને આપના કાર્યકરો સાથે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેસામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર-સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છેજ્યારે 3 ડોક્ટર સહિત સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરાશે. આ સાથે જ ન્યાય નહીં થાય તો ચૈતર વસાવાએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.