ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું...

અબ્દુલ્લાહ એઈડ UK અને મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સમાજને કૌશલ્ય, વિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી

New Update
  • મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન

  • મુન્શી વિદ્યાધામના પટાંગણમાં નિર્માણ પામશે નવું નજરાળું

  • અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ - ટ્રેનિંગ સેન્ટરનું ખાર્તમુહર્ત કરાયું

  • પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતી

  • દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોએ પ્રસંગને યાદગાર બનાવ્યો

ભરૂચ શહેરમાં મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી વિદ્યાધામમાં નિર્માણ પામનાર અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો ખાર્તમુહર્ત સમારોહ યોજાયો હતો.

અબ્દુલ્લાહ એઈડUK અને મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સમાજને કૌશલ્યવિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુન્શી વિદ્યાધામ ખાતે નિર્માણ પામનાર અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો ખાર્તમુહર્ત સમારોહ યોજાયો હતો.

જેમાં અબ્દુલ્લાહ એઈડUK અનેMMMCTના પ્રતિનિધિઓના હસ્તે ખાર્તમુહર્ત કરી અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે દુઆ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ,  ડૉ. ફારુક પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.MMMCTના ટ્રસ્ટી દિલાવર વલ્લીએ નવા પ્રોજેક્ટની મહત્વતા સમજાવી હતી. તોUKથી આવેલ ડૉ. આદમ ટંકારવીએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

અબ્દુલ્લાહ એઈડUKની સેવા પ્રવૃત્તિઓનો ચિતાર સંસ્થાનાCEO શાકીલ માલજીએ આપ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું સંકલન સમજાવી ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા પણ કરાઇ હતી. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અબ્દુલ્લાહ એઈડ દ્વારા પૂરતો સહકાર આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

 સમગ્ર કાર્યક્રમમાં દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન ઈમ્તિયાઝ પટેલ વરેડીઆવાલા અને મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.