ભરૂચ: આંબેડકર ભવન ખાતે બેટી બચાવો, બેટી પઢાવો યોજના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાન ને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ના - રોજ ૧૦ વર્ષ પુર્ણ થતાં, ભારત સરકાર દ્વારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

New Update
Beti Bachao, Beti Padhao Yojana

બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાન ને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ના - રોજ ૧૦ વર્ષ પુર્ણ થતાં, ભારત સરકાર દ્વારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

જે કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમીત્તે ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લાભાર્થીઓને મેન્સ્ટરુઅલ હાયજીન કીટ, બેટી બચાવો બેટી પઢાવોના લોગો સાથેની બેગ, દિકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી-વ-ઈન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી કાશ્મીરાબેન સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, મામલતદાર ભરૂચ ગ્રામ્ય માધવી મિસ્ત્રી, સામાજીક મહિલા આગેવાન ડો.પ્રવિણાબેન વસાવા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીની વલસાડથી કરી ધરપકડ

પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.

New Update
valsad
ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઝઘડીયાની ટીમને બાતમી મળી હતી કે પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.
જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો.