ભરૂચ : રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મજયંતિની ઉજવણી, VHP દ્વારા વાલ્મિકી વાસ ખાતે કન્યા પૂજન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વાલ્મિકી સમાજની કન્યાઓના ચરણ ધોઈ તેમની પૂજા કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.....

New Update

રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મજયંતિની ઉજવણી

વાલ્મિકી વાસ ખાતે VHP દ્વારા કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો

વાલ્મિકી સમાજની કન્યાઓના ચરણને ધોઈને પૂજન કરાયું

સમાજમાંથી વ્યસનની બદીને દૂર કરી એક થવા આહવાન

મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની ઉપસ્થિતિ

રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના કોઠી રોડ સ્થિત વાલ્મિકી વાસ ખાતે ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

જુના ભરૂચના કોઠી રોડ વાલ્મિકી વાસ ખાતે રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વાલ્મિકી સમાજની કન્યાઓના ચરણ ધોઈ તેમની પૂજા કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય વ્યાસ દ્વારા ભગવાન વાલ્મિકીજીના જીવન ચરિત્રની વાતો કરી હતીઅને સમાજને એક થવા તેમજ સમાજમાંથી વ્યસનની બદીને દૂર કરી એક થવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન ધર્મેન્દ્ર પટેલબિપિન પટેલ તેમજ કાર્યકર્તાઓવાલ્મિકી સમાજના સંત જયકુમાર મહારાજછડી ઉત્સવ સમિતિના કમલેશ સોલંકીસુનિલ સોલંકીસંજય મહિડાભરત સોલંકીસ્થાનિક યુવાનોભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.