/connect-gujarat/media/media_files/zU2Qbkw7o8zaxdKp08zZ.jpg)
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યોછે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક નર્મદા નદીબેકાંઠે વહેતી થઈછે.
સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમ વાર 135.02 મીટરની સપાટી વટાવી છે,જેના કારણે સરદાર સરોવરના ડેમના9 દરવાજા ખોલી રવિવારે 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાંઆવ્યું છે.જેનાપગલેસીઝનમાં પ્રથમવાર ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વેહતીથઈહતી. નર્મદા નદીમાંહાલપાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે નર્મદા નદીની સપાટી સતત વધી રહી છે. તંત્ર દ્વારા ઝઘડીયા તાલુકાના નર્મદા નદી કાંઠે ઓરપટાર, તરસાલી, ટોઠિદ્રા, ભાલોદ,જુનાપરા અને ઇન્દોરસહિતવાસણા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.આસાથેજ લોકોને ભયભીતન થઈ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.