ભરૂચ : મહિલા યોગ શિક્ષકની સફળતા,રાજ્ય સ્તરે યોજાયેલી જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે.

New Update

મહિલા યોગ શિક્ષકની સિદ્ધિ

જલદ ચાલ સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

સમગ્ર રાજ્યમાંથી 35 સ્પર્ધકોએ લીધો હતો ભાગ

રાષ્ટ્રીય સ્તર પર યોજાનાર સ્પર્ધામાં લેશે ભાગ

ભરૂચનું ગૌરવ વધારતી મહિલા યોગ શિક્ષક  

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે.પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત 1લી માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવર જાદવ (ભગતજી) જલદ ચાલ સ્પર્ધામાં 40 થી 50 વર્ષના ગ્રુપમાં સાઈ મંદિર ખાતે ભાગ લીધો હતો.

જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિમી જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું.તે માટે તેમણે શ્રી બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.જોકે તેઓએ આટલેથી નહીં અટકતાં 2જી માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધો હતોઆ સ્પર્ધામાં પણ નરગીસ પરમારે પાંચ કિમીની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.