ભરૂચ: વરસાદે વિરામ લેતા સૂર્યનારાયણે દર્શન આપ્યા, પાણીના કારણે બંધ થયેલા માર્ગો પુન: શરૂ થયા

ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ બંધ થયેલા અનેક માર્ગો પુનઃ વાહનોથી ધમધમતા થઈ ગયા છે.

New Update
ભરૂચ જિલ્લામાં વરસાદનો વિરામ
નવ પૈકી 2 તાલુકામાં જ વરસાદ
બંધ થયેલા અનેક માર્ગો પુન: શરૂ થયા
અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે શરૂ થયો
વાહનો પસાર થતા લોકોને રાહત
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ બંધ થયેલા અનેક માર્ગો પુનઃ વાહનોથી ધમધમતા થઈ ગયા છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સતત બે દિવસ વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા પરંતુ છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ થાળે પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં કુલ નવ પૈકી માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો જેમાં આમોદમાં ત્રણ અને વાગરામાં ચાર મિલિમિટર વરસાદ નોંધાયો હતો જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો બે દિવસથી બંધ રહેલ શૈક્ષણિક કાર્ય પણ આજથી શરૂ થયું છે. વિવિધ શાળાઓ અને કોલેજો આજથી ફરીથી શરૂ થઈ ગઈ છે.આ તરફ  બંધ પડેલા માર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે બે દિવસ સુધી બંધ રહેલ સ્ટેટ હાઇવે ફરીવાર વાહનોથી ધમધમતો થઈ ગયો છે. જો કે આ માર્ગ પર હજુ પણ પાણી નજરે પડી રહ્યા છે વાહન વ્યવહાર શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.