ભરૂચ : વર્ષ 2018માં પત્નિ અને 2 બાળકોની હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ભરૂચના ભોલાવમાં 7 વર્ષ પહેલાં પતિએ પત્ની, પુત્ર અને પુત્રીનું ગળું રેહસી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં કોર્ટે આરોપીને  આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

New Update

ભરૂચમાં વર્ષ 2018માં બન્યો હતો બનાવ

પતિએ પત્ની અને 2 બાળકોની કરી હતી હત્યા

કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

દેવું વધી જતાં આચાર્યો હતો હત્યાકાંડ

આરોપીઓ પોતાને ફાંસીની સજા આપવા કરી હતી માંગ

ભરૂચના ભોલાવમાં 7 વર્ષ પહેલાં પતિએ પત્ની, પુત્ર અને પુત્રીનું ગળું રેહસી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં કોર્ટે આરોપીને  આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચની ભોલાવમાં રંગકૃપા સોસાયટીમાં રૂપિયા 6 હજારના ભાડે રહેતા ભાવનગરના પરિવારના 7 વર્ષ પહેલાના ત્રેવડી હત્યા અને આત્મહત્યાના પ્રયાસે લોકોને હચમચાવી દીધા હતા.પાનોલીની કેમિનોવા કંપનીમાં નોકરી કરતા સુપરવાઈઝર જગદીશ સોલંકીએ દેવું વધી જતાં 26 ફેબ્રુઆરી 2018ની બપોરે ઘરમાં જ 30 વર્ષની પત્નીને પાણી આપવાનું કહી તેની ઉપર ધારદાર ચપ્પાથી ગળા ઉપર હુમલો કરી તેની હત્યા કર્યા બાદ અઢી વર્ષના દીકરા વેદાંત અને 7 માસની દીકરીની પણ હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.ભરૂચના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.કે. દેસાઈની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. જિલ્લા સરકારી વકીલ પી.બી. પંડ્યાએ તમામ પુરાવા, દલીલો રજૂ કરી આ જઘન્ય અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. પત્ની અને બે માસૂમ બાળકના હત્યારા જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવા કહ્યું હતું. અદાલતે આ જઘન્ય અપરાધ અને ગંભીર ગુનામાં પોતાના પરિવારના જ ઘાતકી હત્યારા અને ટ્રિપલ મર્ડરના આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે.
Latest Stories