ભરૂચ: ફુરજા બંદરેથી નિકળેલ પ્રાચીન રથયાત્રામાં ભક્તોનું કીડીયારું ઉભરાયું, ભગવાનની અદભૂત રથયાત્રા

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચમાં પ્રાચીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા.

New Update

ભરૂચમાં અષાઢી બીજનું પાવનપર્વ

સૌથી પ્રાચીન રથયાત્રાનું કરાયુ આયોજન

ભગવાનની અદભુત રથયાત્રા જોવા મળી

ભક્તોનું કીડીયારું ઉભરાયું

અનેક મહાનુભાવો પણ જોડાયા

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચમાં પ્રાચીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા.
ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આજે ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ , ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ નગર સેવાસદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભવો જોડાયા હતા.નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા બાદ ત્રણેય રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવાયું હતું. રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાય હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું.
Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.