New Update
/connect-gujarat/media/media_files/2025/08/25/mixcollage-25-aug-2025-09-12-am-6108-2025-08-25-09-15-50.jpg)
ભરૂચની વાલિયા પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.9 લાખની કિંમતના મોબાઈલ અને બાઈક મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે વાલિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.9 લાખની કિંમતના 7 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ રૂ.45 હજારની એક બાઈક પણ મૂળ માલિકને પરત કરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી રૂપિયા 6.43 લાખની કિંમતના 39 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
Latest Stories