ભરૂચ : જૂની APMCમાં 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ધરાશાયી

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના અચાનક ધરાશાયી થઈ હતી.

New Update

ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલીAPMCમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ધરાશાયી થતાં વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે.

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના અચાનક ધરાશાયી થઈ હતી. જેના કારણે નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છેજ્યારે બીજા દિવસે વહેલી સવારે વેપારીઓ માર્કેટમાં આવતા ઘરાશાયી થયેલી દીવાલ જોઈને ચોકી ઉઠ્યા હતા. જેમ જેમ વેપારીઓને ખબર પડતાં જ લોકટોળાં પણ ઉમટી પડ્યા હતા. જો આ બનાવ રાત્રીના સમયના બદલે દિવસમાં બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ હતી.

ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખ રસીદ ખુશાલ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે જ તેઓએ APMC સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કેઆ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર 8 મહિના જેટલો જ સમય થયો છેતેમ છતાંય આ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે. આ સાથે જ વેપારીઓ ટેક્સ ભરતાં હોવા છતાંય APMCમાં સાફ-સફાઈ નહીં કરાતી હોયજેથી વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે. તો બીજી તરફઆ મામલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.