ભરૂચ : જૂની APMCમાં 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ધરાશાયી

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના અચાનક ધરાશાયી થઈ હતી.

New Update

ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલીAPMCમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ધરાશાયી થતાં વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે.

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના અચાનક ધરાશાયી થઈ હતી. જેના કારણે નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છેજ્યારે બીજા દિવસે વહેલી સવારે વેપારીઓ માર્કેટમાં આવતા ઘરાશાયી થયેલી દીવાલ જોઈને ચોકી ઉઠ્યા હતા. જેમ જેમ વેપારીઓને ખબર પડતાં જ લોકટોળાં પણ ઉમટી પડ્યા હતા. જો આ બનાવ રાત્રીના સમયના બદલે દિવસમાં બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ હતી.

ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખ રસીદ ખુશાલ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે જ તેઓએ APMC સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કેઆ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર 8 મહિના જેટલો જ સમય થયો છેતેમ છતાંય આ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે. આ સાથે જ વેપારીઓ ટેક્સ ભરતાં હોવા છતાંય APMCમાં સાફ-સફાઈ નહીં કરાતી હોયજેથી વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે. તો બીજી તરફઆ મામલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.