ભરૂચ-અંકલેશ્વરમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા
આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની
આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કે, વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતો, અને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર, રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.