ભરૂચ-અંકલેશ્વરમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા

આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની

New Update
આજે ધૂળેટીના પર્વની ઉજવણી
Advertisment
ભરૂચમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન
આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા
એકમેકને રંગ લગાડી પર્વની કરી ઉજવણી
આગેવાનોએ પાઠવી શુભેચ્છા
આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની ઉજવણી કરી હતી.
Advertisment
ભરૂચ અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.ફાગણ સુદ પુનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી..ધુળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.અબાલ વૃદ્ધ સો કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી. રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું.ઠેર ઠેર રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આગેવાનો દ્વારા પણ રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
Advertisment
Read the Next Article

ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...

આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા

  • ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

  • આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસારભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કેટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફઆમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment