ભરૂચ-અંકલેશ્વરમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા

આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની

New Update
આજે ધૂળેટીના પર્વની ઉજવણી
ભરૂચમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન
આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા
એકમેકને રંગ લગાડી પર્વની કરી ઉજવણી
આગેવાનોએ પાઠવી શુભેચ્છા
આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની ઉજવણી કરી હતી.
ભરૂચ અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.ફાગણ સુદ પુનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી..ધુળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.અબાલ વૃદ્ધ સો કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી. રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું.ઠેર ઠેર રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આગેવાનો દ્વારા પણ રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.