New Update
/connect-gujarat/media/media_files/2026/02/06/sugarcane-crop-2026-02-06-14-57-33.jpg)
ભરૂચના વાલીયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઉભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે. આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલીયા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે કડક કાર્યવાહીની માંગ કરાય છે.
Latest Stories