નર્મદા : માલસામોટમાં રૂરલ ઇકો ટુરિઝમ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્તમાં MLA ચૈતર વસાવાએ કર્યા શાબ્દિક પ્રહાર

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ

New Update

દેડિયાપાડાના માલસામોટ ગામે યોજાયો વિશેષ કાર્યક્રમ

ઇકો ટુરિઝમ પ્રોજેક્ટનું કરાયુ ખાતમુહૂર્ત 

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

MLA ચૈતર વસાવાના શાબ્દિક પ્રહાર 

મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં પડ્યો સોંપો 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણક્લાઈમેટ ચેન્જજળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંએક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.ત્યારબાદ રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી,પૂર્વ મંત્રી મોતી વસાવાચૂંટાયેલા જન પ્રતિનિધીઓવન વિભાગના અધિકારીઓશાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

તબક્કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આત્મવિશ્વાસ અને પારો સાતમા આસમાને પહોંચ્યોહતો.મંત્રી મુકેશ પટેલસાંસદ મનસુખ વસાવાધારાસભ્ય દર્શના દેશમુખની હાજરીમા વન અધિકારીઓને મંચ પરથી ખખડાવ્યા હતા.ચૈતર વસાવાના શાબ્દિક પ્રહારોથીમંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાંસોંપો પડી ગયો હતો.

Read the Next Article

ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ યથાવત, ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું

માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..

New Update
Bharuch Road Repair
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન અને આગેવાનીમાં વરસાદી ઋતુ દરમિયાન માર્ગોની ક્ષતિઓને દુર કરવા તાત્કાલિક અને આયોજનબદ્ધ રીતે ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે.
જેને અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્નારા ટંકારીયા થી વરેડીયા, પાલેજ –ઈખર-સરભાણ રોડ,વાગરા- ગંધાર, જંબુસર –સમની, વગેરે જેવા માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન માર્ગ અને મકાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાડા ભરવા તેમજ મુસાફરી સુલભ બનાવવા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ દરમ્યાન પણ જિલ્લાના માર્ગોને યથાશક્ય સારી સ્થિતિમાં રાખવા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.