ભરૂચ : વડોદરા બ્રિજ દુર્ઘટનામાં જંબુસર-કહાનવા ગામના મૃતકના પરિજનોને સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રૂ. 1 લાખનો ચેક અર્પણ કર્યો

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેઓના પગારમાંથી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

New Update
  • વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત

  • મૃતકના પરિવારજનોને આર્થિક સહાયરૂપે મદદ કરાય

  • જંબુસર-કહાનવા ગામે મૃતકના પરિજનોને ચેક અર્પણ

  • વડોદરા-સાવલીનાMLA કેતન ઈમાનદારની ઉપસ્થિતિ

  • મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી ચેક અર્પણ કર્યો

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુત્યુ પામેલા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે મૃતકના પરિવારજનોને આર્થિક સહાયરૂપે વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર દ્વારા રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈ-2025ના રોજ તૂટી પડતાં દુર્ઘટનામાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છેત્યારે થોડા દિવસ પહેલા જ વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેઓના પગારમાંથી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામના યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વખતસિંહ જાદવનું ગંભીરા બ્રિજ દુર્ઘટના મૃત્યુ નીપજ્યું હતુંત્યારે જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે બન્ને મૃતકોના પરિવારજનોને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક વિતરણ કાર્યક્રમ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાપાદરા યુવા મોરચાના જયદીપ પરમારપ્રતાપસિંહ માધવસિંહ તેમજ કહાનવા ગામના સરપંચ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • લાયન્સ ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ

  • શ્રદ્ધાંજલિનાં ભાગરૂપે કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં રકતદાતાઓએ કર્યું રક્તદાન

  • 350થી વધુ લોકોએ કર્યું રક્તદાન

અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રા. લિ દ્વારા સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં 300 વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાંલાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા,સેક્રેટરી યોગેશ પટેલ,ખજાનચી હિતેશ પટેલ,સમાજના આગેવાન તેમજબ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.