ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા તારીખ 7-8 માર્ચના રોજ બે દિવસીય શુકલતીર્થ મહોત્સવ યોજાશે, આયોજન સંદર્ભે યોજાય બેઠક

શુક્લતિર્થ ઉત્સવના આયોજન માટે આજરોજ ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું...।

New Update
Shuklatirtha Festival

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૦૭ અને ૦૮ માર્ચ ૨૦૨૬ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજન માટે આજરોજ ઈ.ચા.નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. ત્યારે આગામી સમયમાં ભરૂચ ખાતે શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારું આયોજન કરવા મિંટીંગનું આયોજન કરાયું હતું. શુકલતીર્થ ઉત્સવ પૂર્વે બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ગતવર્ષે કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ વર્ષે પણ વધુ સારુ અસરકારક આયોજન માટે અધિકારીઓ પાસે પ્રતિભાવો મેળવ્યા હતા.

Latest Stories