New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
પાંજરાપોળ ખાતે આયોજન
વેલેન્ટાઈન ડેની ઉજવણી
માતુપિતૃ દિવસ તરીકે કરાય ઉજવણી
માતા પિતાનું પૂજન કરાયુ
ભરૂચ પાંજરાપોળ ખાતે આજે વેલેન્ટાઈન ડેની માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે ૧૪ ફેબ્રુઆરીના રોજ ‘માતૃ- પિતૃ પૂજન દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવી. વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સંવર્ધનરૂપે માતા-પિતાનું પૂજન કરીને આ દિવસને આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા-પિતાનું પૂજન, આરતી કરી અને આશીર્વાદ લીધા. ભારતીય મૂલ્યો, સંસ્કાર અને માતા-પિતા પ્રત્યેના આદરભાવને વધુ મજબૂત બનાવવાનો હેતુ આ ઉજવણીનો મુખ્ય સંદેશ રહ્યો.ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલી આ ઉજવણી દ્વારા યુવા પેઢીને માતા-પિતાના આશીર્વાદનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories