ભરૂચ ઝઘડીયા-બામલ્લાની રાજશ્રી વિદ્યામંદિર ખાતે મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા...

મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના આચાર્ય આશિષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું

New Update

ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ ખાતે આયોજન કરાયું

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજશ્રી શાળામાં કાર્યક્રમ

ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે આયોજન

વક્તવ્યજનજાગૃતિ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

શાળાના આચાર્યશિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ સ્થિત રાજશ્રી વિદ્યામંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ ખાતે આવેલ રાજશ્રી વિદ્યામંદિર શાળામાં મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના આચાર્ય આશિષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ સાથે જ શાળામાં ફરજ બજાવતા સંગીત શિક્ષક ભાવેશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના તેમજ ગાંધીજીનું પ્રીય ભજન "વૈષ્ણવજન તો તેને રે કહીએ..." પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન અયાન ખોખર ગાંધીજીના જીવનને ઉજાગર કરતી વાતો વિદ્યાર્થીઓને સમજાવી હતી. ત્યારબાદ શાળા ખાતેથી સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાય હતી.

જેમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને સફાઇનું ગાંધીજીના જીવનમાં શું મહત્વ હતુંતે સમજાવી વિદ્યાર્થીઓને પ્રેરણા વચનો આપ્યા હતા. આ પ્રસંગે રાજશ્રી વિદ્યામંદિર શાળાના આચાર્યશિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.