ભરૂચ: મંગલેશ્વર ગામે ગેરકાયદેસર માટી ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોની માંગ

ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • મંગલેશ્વરના ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

  • ભુ માફિયાઓ પર કડક કાર્યવાહીની માંગ

  • ખાણખનીજ વિભાગ દ્વારા પગલા ન ભરાયા હોવાના આક્ષેપ

Advertisment
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું. ગ્રામજનો દ્ધારા તારીખ ૨૬/૦૩/૨૦૨૫ના રોજ આ ગેરકાયદેસર ખનન અટકવામાં આવેલું હતું, તેની જાણ ખાનખનીજ વિભાગ, મામલતદાર  તથા પ્રાંતઅધિકારીને કરવામાં આવી હતી.
તારીખ ૨૭/૦૩/૨૦૨૫ના રોજ ખાનખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજદિન સુધી આનો જવા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Advertisment
Latest Stories