ભરૂચ: મંગલેશ્વર ગામે ગેરકાયદેસર માટી ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોની માંગ

ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • મંગલેશ્વરના ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

  • ભુ માફિયાઓ પર કડક કાર્યવાહીની માંગ

  • ખાણખનીજ વિભાગ દ્વારા પગલા ન ભરાયા હોવાના આક્ષેપ

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું. ગ્રામજનો દ્ધારા તારીખ ૨૬/૦૩/૨૦૨૫ના રોજ આ ગેરકાયદેસર ખનન અટકવામાં આવેલું હતું, તેની જાણ ખાનખનીજ વિભાગ, મામલતદાર  તથા પ્રાંતઅધિકારીને કરવામાં આવી હતી.
તારીખ ૨૭/૦૩/૨૦૨૫ના રોજ ખાનખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજદિન સુધી આનો જવા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.