ભરૂચ: મંગલેશ્વર ગામે ગેરકાયદેસર માટી ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોની માંગ

ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • મંગલેશ્વરના ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

  • ભુ માફિયાઓ પર કડક કાર્યવાહીની માંગ

  • ખાણખનીજ વિભાગ દ્વારા પગલા ન ભરાયા હોવાના આક્ષેપ

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું. ગ્રામજનો દ્ધારા તારીખ ૨૬/૦૩/૨૦૨૫ના રોજ આ ગેરકાયદેસર ખનન અટકવામાં આવેલું હતું, તેની જાણ ખાનખનીજ વિભાગ, મામલતદાર  તથા પ્રાંતઅધિકારીને કરવામાં આવી હતી.
તારીખ ૨૭/૦૩/૨૦૨૫ના રોજ ખાનખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજદિન સુધી આનો જવા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.