“હાલાકી” : નવો પુલ બનાવવાની કામગીરી ટલ્લે ચડતા શાપુરના ગ્રામજનોમાં રોષ, ગત ચોમાસામાં ધોવાયો હતો માર્ગ..!

શાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો. જોકે, 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે નવો પુલ બનાવવા માટેની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો

New Update
  • શાપુર ગામમાંથી પસાર થતો પુલ બન્યો અત્યંત બિસ્માર

  • ગત ચોમાસા દરમ્યાન પુલ ધોવાઈ જતાં લોકોને હાલાકી

  • 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખની ફાળવણી

  • નવો પુલ બનાવવા માટેની કામગીરી હાલ લાગી છે બ્રેક

  • વિદ્યાર્થીઓખેડૂતો સહિત આસપાસના ગ્રામજનોમાં રોષ

જુનાગઢ જિલ્લાના શાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો. જોકે15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે નવો પુલ બનાવવા માટેની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો છે.

ગત ચોમાસામાં ભારે વરસાદ પડવાને કારણે જુનાગઢ જિલ્લાના શાપુર ગામમાંથી વાડી વિસ્તારમાં જતાં પુલનું ધોવાણ થઈ ગયું હતુંઅને આ પુલને બનાવવા માટે તાત્કાલિક 15માં નાણા પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી આ કામ ટલ્લે ચડ્યું છેઅને આ પુલ પરથી પસાર થતાં ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પુલ માટે રૂ. 35 લાખની ગ્રાન્ટ આપવા છતાં એજન્સીની બેદરકારીના કારણે આજદિન સુધી આ કામ પૂર્ણ થયું નથીજ્યારે ખેડૂતોને વાડીએ જોવા માટે અવરજવર કરવા માટે એક જ રસ્તો છે. પરંતુ આ પુલ તૂટી જતા હાલ ખેડૂતોને ડાયવર્ઝનમાંથી પસાર થઈને જવું પડે છે.

તો બીજી તરફઆ મુદ્દો જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં પણ ઉઠાવવામાં આવ્યો હતોજ્યાં બજેટ ફાળવાયું છે ત્યાં કામ સમયસર થવું જોઈએકાર્યક્ષમ અને જવાબદાર એજન્સીઓને તક આપવામાં આવવી જોઈએ. આમ ન થાય તો લોકોને લાભ નહીં મળેઅને સરકારની યોજના નિષ્ફળ જતી હોય છે. સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી છેતેમ છતાં કામગીરીમાં નિયમિતતા જોવા મળતી નથી. જેથી આગામી ચોમાસુ નજીક છેત્યારે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાશે.

 તેવામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જશેઅને એક ગામથી બીજા ગામ સુધી જવાનો રસ્તો પણ બંધ થઈ જશે. જેના કારણે વિદ્યાર્થીઓખેડૂતો અને રોજિંદા કામ માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશેત્યારે આ કામ વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.