ભાવનગર: દેશનું સૌ પ્રથમ રજવાડું સરદાર પટેલને સોંપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના 111મી જન્મજયંતિની ઉજવણી

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

New Update
ભાવનગર: દેશનું સૌ પ્રથમ રજવાડું સરદાર પટેલને સોંપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના 111મી જન્મજયંતિની ઉજવણી

ભાવનગરના મહારાજા અને અખંડ ભારતના નિર્માણમાં દેશનું સૌ પ્રથમ રજવાડું સરદાર પટેલને સોંપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના 111મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ૧૧૧મો જન્મદિવસ છે.આ પ્રસંગે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી..

ભાવનગરના સાંસદ અને ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ,ધારાસભ્ય સેજલબેન પંડયા,જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ,સહિતના પુરુષ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ક્રેઇન મારફતે ભાવનગરના દીર્ઘદ્રષ્ટા મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી..

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રજાલક્ષી દેણ આજે પણ અવિસ્મરણીય છે જેમાં ટ્રેન સુવિધા,ગટર સુવિધા,પીવાના પાણી માટે તળાવોનું નિર્માણ, આવનારા સમયને જે તે સમયે ધ્યાને રાખી રસ્તાઓ,હોસ્પિટલ,શૈક્ષણિક સંકુલોનું ભવ્ય નિર્માણ જેવી સુવિધાઓએ તેમની અમૂલ્ય ભેટ છે...