ભાવનગર : 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 728 સ્વ-સહાય જૂથોને રૂ. 943 લાખના સહાય ચેક વિતરણ કરાયા...

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ, સરદારનગર ખાતે સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

New Update
ભાવનગર : 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 728 સ્વ-સહાય જૂથોને રૂ. 943 લાખના સહાય ચેક વિતરણ કરાયા...

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ, સરદારનગર ખાતે સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરતાં આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાં કાર્યરત સ્વ-સહાય જૂથોની બહેનોને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૫૧૧ સ્વ-સહાય જૂથોને રૂા. ૭૩૨ લાખના કેશ ક્રેડિટ મંજૂરી પત્રો, ૯૫ સ્વ-સહાય જૂથોને રૂ. ૨૮.૫૦ લાખના રીવોલ્વિંગ ફંડ ફાળવણી પત્રો તથા ૧૨૨ સ્વ-સહાય જૂથોને રૂ. ૧૮૩ લાખના કોમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પી.એમ.જે.એ.વાય-માં યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે વર્ચુયલ માધ્યમથી જોડાઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્વ-સહાય જૂથોની બહેનોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ડબલ એન્જિનની અમારી સરકાર વિકાસનાં પાયામાં રહીને કરી કરતી સરકાર છે. છેવાડાના અને ગરીબ લોકોને સુધી સીધા લાભ મળે એ કેન્દ્રમાં રહીને કામ કરતી સરકાર છે. ૨૦ વર્ષનો વિશ્વાસથી વિકાસ માટે ખૂબ જ મોટા નિર્ણયો લઈને રાજ્યને એક અલગ ઉંચાઈ આપવાનું કાર્ય અમારી સરકારે કર્યું છે, ત્યારે ગુજરાતના ગામડાઓમાં પણ આરોગ્ય, રોજગારી, પીવીસી બ્લોક, હર ઘર નલ જેવી સુવિધાઓમાં વધારો થયો છે.

Latest Stories