Connect Gujarat
ગુજરાત

ભાવનગર: કેબિનેટમંત્રી મનસુખ માંડવીયાએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી

ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી

X

ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી

ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા બે દિવસના પ્રવાસ છે ત્યારે સવારે ભાવનગર હવાઈ મથકથીસીધા ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કાર્યકતાઓ સાથે મુલાકાત લીધી હતી ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે મનસુખ મંડવીયાએ જણાવ્યું હતુ કે દેશે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે,આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃતકાળમાં પ્રવેશ્યો છે દેશની આઝાદીના સો વર્ષને શતાબ્દી તરીકે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે જેમ 25 વર્ષને અમૃતકાળ તરીકે વર્ણવ્યો છે ત્યારે રાષ્ટ્રભાવના પ્રગટાવીને મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન ચાલી રહ્યું છે જેમાં દેશના ખૂણે ખૂણેથી મિટ્ટીને એક વૃક્ષ લઈને દિલ્હી લઈ જવામાં આવશે અને એક અમૃતવનનું નિર્માણ કરવાનું છે

Next Story