ભાવનગર : આર્થિક મુશ્કેલીનો સામનો કરતાં વયોવૃદ્ધ પેન્શનરોએ યોજી રેલી, કરી પેન્શન વધારાની માંગ...

નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભાવનગર : આર્થિક મુશ્કેલીનો સામનો કરતાં વયોવૃદ્ધ પેન્શનરોએ યોજી રેલી, કરી પેન્શન વધારાની માંગ...

નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી શહેરના જશોનાથ સર્કલથી કલેકટર કચેરી સુધી પગપાળા યોજાય હતી, ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

EPS-95માં સમાવિષ્ટ 60થી 90 વર્ષ સુધીના વૃદ્ધ ભાઈઓ-બહેનો દ્વારા પેન્શન વધારાની માંગ સાથે ભાવનગરના જશોનાથ ચોક ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 'મોદી સાહબને વચન દિયા હે, પુરા કરો... પુરા કરો...'ના નારા સાથે રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર બી.કે.પારેખને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદન પત્રમાં પેન્શનરોના જણાવ્યા મુજબ, તેઓને મળી રહેલા 700થી 2500ના પેન્શનમાં મહિનાનું દૂધ અને શાકભાજી પણ આવતું નથી, ત્યારે વયોવૃદ્ધ પેન્શનરો શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય, જેથી પેન્શનમાં તાત્કાલીક વધારો કરવા રજૂઆત કરી હતી. આ રેલીમાં ઉદ્યોગો, સાર્વજનિક સંસ્થા, સરકારી બેન્કો, સરકારી નિગમો દ્વારા ન્યાય માંગવા માટે રેલી યોજાય હતી.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.