ભાવનગર: ઘરફોડ ચોરી કરનાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કરાયો

New Update
ભાવનગર: ઘરફોડ ચોરી કરનાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કરાયો

ભાવનગર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

રુ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના સમયમાં રુ.1 લાખથી વધુની ચોર ઈના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની ક ર્યવાહી હાથ ધરી છે

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં આગામી દિવસોમાં નીકળનાર રથયાત્રા સબબ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, ભાવનગર, કણબીવાડ, નાની સડક પર ઘર ભાડે રાખી રહેતો રવીભાઇ ઉર્ફે ભુરો જમોડ તથા તેના સાથીદારો આ મકાનમાં એર કુલર, ટીવી અને ગેસના બાટલા રાખી સગેવગે કરે છે. જે ચીજવસ્તુઓ તેઓએ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા કુલ કિ.રૂ.૧,૦૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે રવિ જમોડ, સંજય મકવાણા, કિશન મકવાણા, સંજય સોલંકી નામના 4 ઈસમોને ઝડપી લીધા હતા. અને તમામને ગંગાજળિયા પોલીસ મથક ખાતે સોંપી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.
Latest Stories