રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર, PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે

New Update
રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર, PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે

રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ચોમાસા બાદ યોજાઈ શકે છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઇ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: 12472ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે.

Read the Next Article

ભરૂચ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન, પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ યોજાયું

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ભરૂચ પોલીસે ફ્લેગમાર્ચ યોજી

New Update
  • ભરૂચમાં આવતીકાલે રથયાત્રા

  • ફુરજા વિસ્તારમાંથી રથયાત્રા નિકળશે

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય

  • પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

  • સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર

ભરૂચમાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
આ ફ્લેગમાર્ચ દરમિયાન ભરૂચ  DYSP સહિત પીઆઇ,પીએસઆઇ સહિતના પોલીસ કર્મી  હાજર રહ્યા હતા અને પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.