ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા..!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાથી ઉમેદવારી કરવા માટે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

New Update
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા..!

રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારે પોતાના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાથી ઉમેદવારી કરવા માટે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમને સીએમ ભૂપેનદ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવકાર્યા હતા. જે. પી. નડ્ડાને સચિવાલયના ગેટ નંબર - 7 પરથી સ્વાગત કરીને વિધાનસભા ખાતે ફોર્મ ભરવા લાવવામા આવ્યા હતા. આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારે પોતાના નામાંકન પત્રો ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત રાજ્યસભાની 11 બેઠકમાંથી બે બેઠક બિન ગુજરાતીના ફાળે ગઈ છે. જેમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને વિદેશ મંત્રી એસ જયશંકરનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી રાજ્યસભામાં સંતુલન જાળવવા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે. એક લેઉવા પટેલ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી બે ઓબીસીને તક આપવામાં આવી છે. ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે. અત્યાર સુધી બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારેય બેઠક પર ભાજપનો કબજો રહેશે. પરિણામે આ ચારેય બેઠકો બિનહરીફ રહેશે.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories