બોટાદ: લંપટ સાધુઓને હટાવવાની માંગ સાથે હરીભક્તોનું વિરોધ પ્રદર્શન

વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજે સ્વામીઓની લંપટલીલા અને વાઈરલ વીડિયો

New Update

સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં રોષ
ગઢડા મંદિરે હરિભક્તોએ ભેગા થઈ કર્યું પ્રદર્શન
લંપટ સાધુઓને હટાવવાની હરિભક્તોએ કરી માંગ
7 દિવસનું આપવામાં આવ્યું અલ્ટીમેટમ
ટ્રસ્ટીઓને આપ્યું આવેદનપત્ર

વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજે સ્વામીઓની લંપટલીલા અને વાઈરલ વીડિયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા. જ્યાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી હતી. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માગ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે. જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો.ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજિંયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની માગ કર સાથે 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.