છોટાઉદેપુર: ભૂંડના ત્રાસથી ખેતીમાં ભારે નુકશાની, ધરતીનો તાત મુશ્કેલીમાં

બોડેલી તાલુકામાં ભૂંડનો આતંક, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન.

New Update
છોટાઉદેપુર: ભૂંડના ત્રાસથી ખેતીમાં ભારે નુકશાની, ધરતીનો તાત મુશ્કેલીમાં

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કેટલાય વિસ્તારોમાં ભૂંડના ત્રાસથી ખેતીમા નુકશાનીના કારણે ધરતીપુત્રોને આર્થિક ફટકો પડ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી, રાજવાસના, સલપુરા,નાનીઉન ,મોટીઉન,કાશીપરા જેવા અનેક ગામના લોકો ભૂંડના ત્રાસ થી કંટાળી ગયા છે દિવસ દરમિયાન ખેતી કામ કરતા ખેડૂતોને હવે રાત્રિના ઉજાગરા કરવા પડે છે. આમ છતાં ભૂંડના ઝુંડને ઝુંડ એવાતો ખેતરમા ત્રાટકે છે કે ખેડૂતની સાવચેતીના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. સલપુરા ગામના ચાર એકર ના ખેતરમા ભૂંડોએ 60% ટકા જેટલા કેળના છોડને નષ્ટ કરી નાખ્યા છે.

ખેડૂતનું કહેવું છે કે ખેતીમા વારંવાર નુક્શાની બાદ પણ તેઓએ પહેલીવાર બાગાયતી ખેતી કરી હતી હજુ તો છોડ પૂર્ણ રીતે ઉછર્યો પણ નથી અને ખેતરમા ભૂંડોએ તહસ નહસ કરી નાખ્યું. છેલ્લા બે વર્ષથી આકસી આફતો, વેપારીઓ દ્વારા આપવામા આવતા ઓછા ભાવ, કોરોના મહામારી વારંવારની નુક્શાનીને લઈ ખેડૂત કંગાળ બની ગયો છે. ઉછીના પૈસા લીધા હોઈ તેને હવે લેણદારોથી મોઢું છુપાવવાનો વારો આવ્યો છે. ભૂંડો દ્રારા જે નુક્શાન થાય છે તેનું વળતર સરકાર આપે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો

New Update
  • ઉનાના આમોદ્રામાં દીપડાનો આતંક

  • એક ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો

  • પત્નીને બચાવવા જતા પતિ પર દીપડાનો હુમલો

  • દીપડો રસોડામાં ઘૂસી જતા સ્થાનિકોમાં દહેશત

  • વનવિભાગે દીપડાને બેભાન કરીને પાંજરે પૂર્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો,ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,જ્યારે વનવિભાગે દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે દીપડાએ દહેશત ફેલાવી હતી. દીપડો રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી 50 વર્ષીય ખેડૂત પર હુમલો કર્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પુર્યો હતો.

વહેલી સવારે જ્યારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરના વરંડાનો ગેટ ખોલ્યો ત્યારે અચાનક દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો.જોકેદક્ષાબેન દોડીને તેમના ઘરની ઓસરીમાં આવી ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઈને દોડી આવ્યા હતા. તેમણે દીપડાનો પ્રતિકાર કર્યો હતો.જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો હતો.રમેશભાઈ તેની પાછળ પાછળ જતા દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘૂસી ગયો હતો.

રમેશભાઇએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયત્ન કરતા રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઇ પર હુમલો કર્યો હતો. જોકેઆ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

રસોડાનો દરવાજો બંધ કરી વનવિભાગની ટીમે બંધ બારણે દીપડાને બેભાન કરવા માટેના પ્રયત્નો કર્યા હતા.અંતે વન વિભાગની ટીમે દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી રસોડામાંથી બહાર કાઢી આખરે પાંજરે પુર્યો હતો.

હાલ ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને હાથે ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.