દાહોદ : ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો, વિપક્ષના નેતા અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત...
ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા
BY Connect Gujarat Desk2 Oct 2023 12:41 PM GMT
X
Connect Gujarat Desk2 Oct 2023 12:41 PM GMT
ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન
વિપક્ષના નેતા અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત
અરજદારોની સમસ્યાનું થશે નિરાકરણ : અમિત ચાવડા
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ ખાતે જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત વિરોધ પક્ષના નેતા અમીત ચાવડાએ અરજદારોની રજૂઆતોને સાંભળી હતી. જેમાં ઝાલોદ શહેરમાં થયેલા દબાણો દૂર થયા તે બાબતે તેમજ પોતાની સમસ્યાઓ મુદ્દે મોટી સંખ્યામાં અરજદારોએ રજૂઆત કરી હતી, ત્યારે આ તમામ અરજદારોની સમસ્યાના નિવારણ માટે પ્રયાસો કરવા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આશ્વાસન આપ્યું હતું.
Next Story