દાહોદ : ખાન નદીમાંથી મળી આવેલ મૃત યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ઉજ્જેન ભાગે તે પહેલા જ હત્યારો ઝડપાયો...

દાહોદના રળીયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર એક અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી,

New Update

દાહોદ તાલુકાના રળીયાતી નજીક ખાન નદીમાંથી મળી આવેલ મૃત યુવકની હત્યાનો ભેદ દાહોદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ સાથે જ ઉજજેન ભાગે તે પહેલા જ હત્યારાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદના રળીયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર એક અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતીત્યારે ઘટના સ્થળે પહોંચેલી દાહોદ પોલીસે મરણ જનારના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. આ વ્યક્તિની કોઈએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મરણ જનાર વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે મોકલી 4 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતીત્યારે મૃતક યુવક આગાવાડા ગામનો લાલા ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરવા સાથે CCTV  ફૂટેજની મદદ મેળવી હતી. આ સાથે જ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સના માધ્યમથી પોલીસને જાણવા મળ્યું હતું કેત્રિવેણી સંગમ નદી ખાતેના રહેવાસી ગણેશ ઉર્ફે સની તાનસીંગ ડામોરનો મૃતક યુવક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતોત્યારે પોલીસે ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી. જોકેગણેશ ડામોર પોલીસને હાથતાળી આપી ઉજ્જૈન ભાગે તે પહેલા દાહોદ પોલીસે રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા ગણેશ ડામોરને પૈસાની જરૂર પડતા મૃતક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જણાવ્યુ હતું. જે બાદ ગુસ્સામાં આવી ગણેશ ડામોરે બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી લાલા ભાભોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતકના ખિસ્સામાંથી 1200 રૂપિયા કાઢી લઈ મૃતદેહને ખાન નદીમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરતા પોલીસે આ મામલે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે.

 

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.