દાહોદ : ખાન નદીમાંથી મળી આવેલ મૃત યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ઉજ્જેન ભાગે તે પહેલા જ હત્યારો ઝડપાયો...

દાહોદના રળીયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર એક અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી,

New Update

દાહોદ તાલુકાના રળીયાતી નજીક ખાન નદીમાંથી મળી આવેલ મૃત યુવકની હત્યાનો ભેદ દાહોદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ સાથે જ ઉજજેન ભાગે તે પહેલા જ હત્યારાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદના રળીયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર એક અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતીત્યારે ઘટના સ્થળે પહોંચેલી દાહોદ પોલીસે મરણ જનારના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. આ વ્યક્તિની કોઈએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મરણ જનાર વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે મોકલી 4 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતીત્યારે મૃતક યુવક આગાવાડા ગામનો લાલા ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરવા સાથેCCTV  ફૂટેજની મદદ મેળવી હતી. આ સાથે જ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સના માધ્યમથી પોલીસને જાણવા મળ્યું હતું કેત્રિવેણી સંગમ નદી ખાતેના રહેવાસી ગણેશ ઉર્ફે સની તાનસીંગ ડામોરનો મૃતક યુવક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતોત્યારે પોલીસે ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી. જોકેગણેશ ડામોર પોલીસને હાથતાળી આપી ઉજ્જૈન ભાગે તે પહેલા દાહોદ પોલીસે રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા ગણેશ ડામોરને પૈસાની જરૂર પડતા મૃતક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જણાવ્યુ હતું. જે બાદ ગુસ્સામાં આવી ગણેશ ડામોરે બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી લાલા ભાભોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતકના ખિસ્સામાંથી 1200 રૂપિયા કાઢી લઈ મૃતદેહને ખાન નદીમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરતા પોલીસે આ મામલે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.