ભરૂચ ઝઘડિયા બાર એસો.ની એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ

દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે, અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે.

author-image
By Connect Gujarat
New Update

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો પર થતાં હુમલાને ધ્યાને રાખી સુરક્ષાના હેતુથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા તંત્રને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન કેજે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે સ્થાપિત થયું છેત્યારે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો પર થતાં હુમલાને ધ્યાને રાખી સુરક્ષાના હેતુથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ રજૂઆતમાં જણાવ્યું હતું કેએડવોકેટ્સ આપણા કાનુની પ્રણાલીનો અભિન્ન ભાગ છે.

જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે. દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છેઅને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે. હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કેગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કેવકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે. જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીંત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆત ધ્યાને લઈ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.