/connect-gujarat/media/post_banners/46faef6aa6cc25a702c1b62a4b5eeee6d66f837393e2268bacd2ccbd78b52fc2.jpg)
સાસણ-ગીરમાં પંથકમાં વરસ્યો ભારેથી અતિભારે વરસાદ
વરસાદના પગલે પંથકમાં ખેડૂતોની પરિસ્થિતિ વધુ વિકટ
ખેતરમાં નારિયેળી-આંબાના વૃક્ષ પડતાં ખેડૂતોને નુકશાન
સાસણ-ગીરમાં પુષ્કળ વરસાદના કારણે હિરણ નદીમાં જબરદસ્ત પુર આવ્યું હતું. આ સાથે જ ડેમમાં પણ પાણીના પ્રવાહમાં વધારો થયો હતો. જેના કારણે ડેમના સાતે સાત દરવાજા ખોલવાની ફરજ પાડી હતી. તો બીજી તરફ, ડેમના દરવાજા ખુલતાં વેરાવળ પંથકના માલજીંજવા ગામના સહિત આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
ડેમના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ તો, ખેડૂતો માટે વૃક્ષો પોતાની આજીવિકા કહેવાય છે. 20થી 25 વર્ષની મહેનત કરી નાના બાળકની જેમ ઉછેર કરેલ 80થી વધુ આંબાના વૃક્ષો પાડી જતાં ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે અચાનક જ પાણી આવતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, હવે ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી જતાં સરકાર દ્વારા સહાય વળતર ચૂકવાય તેવી માંગ ઉઠી છે.