ગાંધીનગર : હવે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે..!

ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે.

New Update
ગાંધીનગર : હવે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે..!

ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે જેને લઇને વાહન ચાલકો ખુશ થયા છે.

Advertisment W3.CSS

રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, RTOમાં દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીના વ્હીકલ નંબર ઇચ્છતો હોય છે, ત્યારે હવે વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે. નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણાશે. કોઈપણ વ્યક્તિ વાહન વેચી શકે છે, અને તેનો નંબર પોતાની પાસે પણ રાખી શકે છે. જોકે, જે તે વાહન નંબર પોતાની પાસે રાખવા માટે તેનો ચાર્જ પણ લેવામાં આવશે. ઉપરાંત સ્ક્રેપ વાહન થાય તો પણ નંબર પોતાની પાસે રાખી શકાશે. ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવાશે, ત્યારે વાહન વ્યવહાર મંત્રી દ્વારા અરજદારોની રજૂઆતોને ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ હવે વ્હીકલ નંબર રીટેન્શનની પોલીસી અમલમાં મુકવામાં આવશે. આ પોલીસીમાં વાહન માલીક 2 કિસ્સામાં તેના વાહન નંબર રીટેન્શન કરી શકશે. વાહન માલિક પોતે વાહન નંબર પોતાના દ્વારા ખરીદેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે, તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્ને વાહનનો માલિકી એક જ વ્યક્તિ હોવો જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રીટેન કરવાનો છે, તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જરૂરી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસરમાં રખડતા ઢોરે 3 વ્યક્તિઓને લીધા અડફેટે, એક ગાયને પાંજરે પુરાય

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરની અનેક સોસાયટીઓમાં બે થી ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર ગાયને પાંજરે પુરવામાં આવી હતી.

New Update
Screenshot_2025-06-07-07-57-58-12_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરની અનેક સોસાયટીઓમાં બે થી ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર ગાયને પાંજરે પુરવામાં આવી હતી.

Advertisment W3.CSS

આતીયાપાર્ક સોસાયટીમાં એક વ્યક્તિને રખડતા ઢોરે ભેટીએ ચઢાવ્યો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. 

આ તરફ અન્ય એક મહિલા સહિત બે લોકોને પણ રખડતા ઢોરે શિંગડે ભેરવ્યા હતા ત્યારે નગર સેવા સદન  દ્વારા કાર્યવાહી કરી ગાયને પાંજરે પૂરવામાં આવી છે. રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Latest Stories