ગીર સોમનાથ : ગોલોક ધામમાં શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથિની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથિની ઉજવણી...!

Advertisment

સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે.તે જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે. એટલે સુધી કે જગતગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવનલીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી.

ગોલોક ધામએ જ પાવન સ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું.જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે.તેથી જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભુમી કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું હતું.

ગોલોક ધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કર્યા હતા અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કર્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓએ ગોલોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કર્યું હતું.ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.બપોરે શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની ક્ષણે, ચરણપાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. શંખનાદ અને જયઘોષ સાથે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિનામ રટણથી ગુંજી ઉઠ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના વન વે માર્ગ પરથી ખાનગી બસચાલકોને પસાર થવા દેવા ટ્રાવેલ્સ એસો.ની કલેકટરને રજુઆત

માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં તંત્ર દ્વારા માર્ગ જાહેર કરાયો છે વન વે

  • ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ વન વે

  • ટ્રાવેલ્સ એસો.દ્વારા કલેક્ટરને કરાય રજુઆત

  • બસ ચાલકોને પસાર થવાની મંજૂરી આપવા માંગ

  • પાર્કિંગ પણ બનાવી આપવા માંગ કરાય

Advertisment
ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પરથી ખાનગી લકઝરી બસને પસાર થવા માટે મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પર માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રોડનું જે કામ ચાલે છે તે દરમ્યાન આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલુ છે.આ સાથે જ 30 કી.મી.નો વધારાનો ફેરાવો થાય છે જેના કારણે ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Advertisment