અહી પણ તમને જોવા મળશે સિંહો,સૌથી મોટા બરડા અભ્યારણની કામગીરી પુરજોશમાં

ગુજરાત સરકારે હવે સિંહોના બીજા રહેઠાણ તરીકે પોરબંદરના બરડામાં અભ્યારણને ખુબ જ ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરી છે.

New Update
Gir abhyaran

ગીર બાદ સિંહો માટેનું સૌથી મોટું અભ્યારણ પોરબંદરના બરડામાં તૈયાર થવા જઈ રહ્યું છેત્યારે જુનાગઢ વન વિભાગ દ્વારા અભ્યારણને ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકારે હવે સિંહોના બીજા રહેઠાણ તરીકે પોરબંદરના બરડામાં અભ્યારણને ખુબ જ ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરી છે. ગીર બાદ સિંહોનું નવું ઘર વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છેત્યારે હવે પોરબંદરના બરડામાં સિંહોના વસવાટ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. બરડા અભ્યારણમાં સિંહો માટે ગીરમાંથી 30 હરણને પણ સ્થાળાંતર કરવામાં આવ્યા છે. ગીર બાદ સિંહો માટેનું સૌથી મોટું અભ્યારણ પોરબંદરના બરડામાં તૈયાર થવા જઈ રહ્યું છેત્યારે વન વિભાગે અહીCCTVથી સજ્જ મોડીફાઈડ વાહન પણ તૈયાર કરાવ્યુ છે. બરડા અભ્યારણમાં હાલ 7 જેટલા સિંહો વસવાટ કરવા લાગ્યા હોવાનું પણ જુનાગઢ મુખ્ય વન સંરક્ષકે જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.