જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પણ સાબરકાંઠામાં 100થી વધુ લોકોએ કર્યા પાણીમાં યોગ...

વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા. યોગથી મન પ્રફુલિત થાય છે,

New Update

જમીન પર યોગ તો બધા કરતા હોય છેપરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે. જીહા... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વિમિંગ પુલમાં 100થી વધુ લોકોએ પાણીમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા. યોગથી મન પ્રફુલિત થાય છેઅને યોગ શરીર માટે પણ જરૂરી છે. તમે કદાચ સાંભળ્યુ હશે કેપહેલાના સમયમાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતાઅને પાણીમાં ચાલતા હતા. આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પરગ્રાઉન્ડમાં કેગાર્ડનમાં કરતા હોય છેત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સાથે 100થી વધુ લોકોએ સાબર સ્ટેડીયમ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં પાણી યોગ કર્યા હતા.

સ્વિમિંગ પુલમાં લોકોને 5 દિવસની તાલીમ અપાઈ હતીઅને એ તાલીમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણીમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમીન પર થતા મોટાભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા. આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન હોય છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટીએ યોગ શરીર માટે સારા હોય છે. નિયમિત યોગ કરવાથી હાર્ટબીટ કંટ્રોલમાં રહે છે. ઉપરાંત ફેફસામાં નહિવત રોગ તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા પણ સારી રહે છે. દુનિયામાં કંઈ પણ અશક્ય નથીત્યારે જેમ જમીન પર યોગ થાય છેતેમ 100 વધુ લોકોએ પાણીમાં પણ યોગ કરીને સાબિત કરી બતાવ્યું છે.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.