PM મોદીના કાર્યક્રમ બાદ IAS અધિકારીઓની આંતરિક બદલી, સુરત અને વડોદરાને મળ્યા નવા મ્યુ. કમિશનર...

IAS શાલીની અગ્રવાલ વડોદરાના જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યા છે. અને હાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી રહ્યા છે.

New Update
PM મોદીના કાર્યક્રમ બાદ IAS અધિકારીઓની આંતરિક બદલી, સુરત અને વડોદરાને મળ્યા નવા મ્યુ. કમિશનર...

રાજ્યમાં હાલ ચૂંટણી વર્ષ ચાલી રહ્યું છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પોલીસ તથા વહીવટી ખાતામાં બદલીઓનો દોર શરૂ થયો છે. વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. હાલ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળતા શાલીની અગ્રવાલને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તો હાલ સુરતના મ્યુનિસિપલ કમિશનરનો કાર્યભાર સાંભળતા બંછાનિધિ પાનીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત બાદ ગઈ કાલે રાત્રે તેઓ રવાના થયા હતા. જે બાદ ઉચ્ચ અધિકારીઓની બદલી સામે આવી છે. આવનાર સમયમાં વધુ અધિકારીઓની બદલી થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે, IAS શાલીની અગ્રવાલ વડોદરાના જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યા છે. અને હાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તાજેતરમાં પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓ પરત દિલ્હી જતા જ રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યુ કે, આવનાર સમયમાં પોલીસ તથા વહીવટી ખાતામાં વધુ બદલીઓ આવી શકે તેમ છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.