જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ

New Update
જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ

વંથલીનાં ધંધુસર ખાતે અજીબોગરીબ રા ઉત્સવ

આઝાદી પહેલાથી ઉજવાય છે આ ઉત્સવ

માનતાઓ પૂર્ણ થાય તે લોકો રા નું સ્વરૂપ કરે છે ધારણ

ગધેડા પર સવાર થઈ વાજતેગાજતે નીકળે છે વરઘોડો

ધુળેટીનાં દિવસે નીકળે છે ગામમાં ફુલેકું

જુનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં અજીબોગરીબ પરંપરા સાથે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. તહેવારો સમયે ઉજવાતા રા ઉત્સવની વિગતો જુઓ આ રિપોર્ટમાં

દુનિયા ભલે હાઇટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી એવી અજીબો ગજીબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે. હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે. ગામલોકોની માન્યતા મુજબ "રા" માં એક દૈવીય શક્તિ છે. જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે. જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી "રા" નું રૂપ ધારણ કરે છે. અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે.અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ "રા"ને પોખે છે. આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલા થી જોડાયેલી છે.અને ત્યાર થી જ આ ગામમાં અનોખો "રા" ઉત્સવ મનાવવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી