જુનાગઢ : MBBSમાં ફી વધારા મુદ્દે AAP-કોંગ્રેસ દ્વારા રેલી યોજાય, અયોધ્યાની જેમ જાકારો મળતા વાર નહીં લાગે: રેશ્મા પટેલ

 AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે, ફી વધારો પાછો ખેંચો, નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે

New Update

MBBSમાં ફી વધારા મુદ્દે યોજાય ઉગ્ર વિરોધ પ્રદર્શન રેલી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું

રેશ્મા પટેલ તેમજ મનોજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

અયોધ્યાની જેમ જાકારો મળતા વાર નહીં લાગે : રેશ્મા પટેલ

ફીમાં રાહત અને ફી વધારો રોકવા માટે કરવામાં આવી માંગ

જુનાગઢ ખાતેMBBSમાં ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીએ તાજેતરમાં જ તેની 13 કોલેજમાંMBBSની વાર્ષિક ટ્યૂશન ફી રૂ. 3.50 લાખથી વધારી રૂ.5.50 લાખ કરી છે.

એક જ વારમાં 57.14 ટકા ફી વધારો કરાતા એમબીબીએસના વિદ્યાર્થીએ સાડા 4 વર્ષના આ કોર્સ માટે રૂ. 24.75 લાખ ચૂકવવા પડશેત્યારે જુનાગઢ ખાતેMBBSમાં ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરભરમાં યોજેલી રેલી દરમ્યાન ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કેફી વધારો પાછો ખેંચોનહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે. પેપરો ફૂટતા ન રોકી શકનાર ભાજપ સરકાર હવે ફી વધારો કરી રહી હોવાનો પણ રેશ્મા પટેલે આક્ષેપ કર્યો હતો. આમ જનતાને ફીમાં રાહત આપો અને તોંતિંગ ફી વધારા રોકો એ જ માંગ સાથે ઇન્ડિયા ગઠબંધન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.