કચ્છ : માંડવીમાં નિર્માણ પામી રહેલાં જહાજમાં ફરશે દુબઇનું શાહી પરિવાર

વિશ્વના ધનાઢય પરિવારો પૈકીના એક દુબઇનું રાજવી પરિવાર હવે કચ્છના માંડવીમાં બનેલા લાકડાના દેશી ઢબના જહાજમાં રજાઓ માણશે.

New Update
કચ્છ : માંડવીમાં નિર્માણ પામી રહેલાં જહાજમાં ફરશે દુબઇનું શાહી પરિવાર

વિશ્વના ધનાઢય પરિવારો પૈકીના એક દુબઇનું રાજવી પરિવાર હવે કચ્છના માંડવીમાં બનેલા લાકડાના દેશી ઢબના જહાજમાં રજાઓ માણશે. માંડવીમાં હાલ લાકડામાંથી 207 ફૂટ લાંબા અને 18 ફૂટ ઉંચા જહાજનું નિર્માણ કરાઇ રહયું છે.

Advertisment

કચ્છ જિલ્લાના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષોથી ચાલ્યો આવે છે. દેશ તથા વિદેશના લોકો માંડવીના મિસ્ત્રીઓના હાથે બનેલાં જહાજોને વધુ પસંદ કરતાં હોય છે. વિશ્વના સૌથી ધનાઢય પરિવારોમાં જેમની ગણના થાય છે તેવા દુબઇના શાહી પરિવાર પણ પોતાના માટે માંડવીમાં જહાજનું નિર્માણ કરાવી રહયો છે અને જહાજનું નિર્માણ અંતિમ તબકકામાં પહોંચી ગયું છે. માંડવીમાં સલાયા નજીકના રુકમાવતી નદીના પટ્ટમાં ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીના નેતૃત્વમાં ત્રણ મજલી ધરાવતાં કલાત્મક જહાજનું નિર્માણ કરવામાં આવી રહયું છે. આ વહાણનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે.

આ વહાણ બનાવવાનો ખર્ચ પહેલાં 7 થી 8 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો પણ હવે ખર્ચ 9 થી 10 કરોડ રૂપિયા જેટલો થવાની ગણતરી છે. જહાજની ખાસિયતોની વાત કરવામાં આવે તોઆ ત્રણ વહાણને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરની મહેનત સાથે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે. વહાણમાં જે લાકડાનો ઉપયોગ કરાયો છે તેને મલેશિયા અને ઇન્ડોનેશિયાથી મંગાવવામાં આવ્યાં છે. જહાજની અંદર ડાકોર અને ખેડાથી આવેલાં લાકડાનો વપરાશ થયો છે. દુબઇના શેખના ભાઇ આ જહાજનો ઉપયોગ કરશે. જહાજમાં સ્પીડબોટ તથા માછલીઓને સાચવી રાખવા કોલ્ડ સ્ટોરેજ પણ બનાવાયું છે. જહાજમાં મશીનરી સહિત અન્ય ઉપકરણો દુબઇ ખાતે બેસાડવામાં આવશે. માંડવીથી આ જહાજને ટો કરી દુબઇ લઇ જવાશે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.