ડાંગ : ગિરિમથક સાપુતારામાં “મેઘ મલ્હાર પર્વ-2024” રંગારંગ કાર્યક્રમનો પ્રવાસન મંત્રીના હસ્તે પ્રારંભ

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા. 29 જુલાઈથી 28 ઓગષ્ટ, એક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે.

New Update

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથીસાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા. 29 જુલાઈથી 28 ઓગષ્ટએક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે. પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિતના આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભયાત્રા થકી મેઘ મલ્હાર પર્વના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રોકલાકારોમનોરંજક પાત્રોઅલગ અલગ વેશભૂષામાં સજ્જ કલાકારો દ્વારા ડાંગી આદિવાસી નૃત્યતેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતીજ્યારે મેઘ મલ્હાર પર્વના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી રેઇન રન મેરેથોનને પણ પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.