વલસાડ બાળ તસ્કરી મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વાપીથી 6 બાળકો સાથે મહિલાની ધરપકડ કરી

બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી ચાર રસ્તા પહોંચી હતી. જેમાં બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઘરપકડ કરી 

New Update
Advertisment
વલસાડ જિલ્લાના વાપી શહેરના વૈશાલી ચાર રસ્તા નજીકથી મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાળ તસ્કરી મામલે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વલસાડ જિલ્લાના વાપી ખાતે આવી પહોંચી હતી. બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી ચાર રસ્તા પહોંચી હતી. જેમાં બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઘરપકડ કરી 
બાળકોની તસ્કરી કરતી ગેંગના મામલે સમગ્ર દેશમાં તપાસ કરતી મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી. આ બાળકીના તાર વલસાડના વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા વાપીમાંથી ધરપકડ કરાયેલ મહિલાએ પોતે પોતાની બાળકીને વેચી હોવાનું રટણ કર્યું હતું.
આ સાથે જ મહિલા પાસેથી અન્ય 6 બાળકો પણ મળી આવ્યા હતા. જોકે, મુંબઈ પોલીસ દ્વારા આ મામલે બાળકી અને તેની માતાનું DNA ટેસ્ટ કરવામાં આવશે. મુંબઈ પોલીસને એ પણ શંકા છે કે, આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી દીધું છે. જોકે, મહિલાની સઘન પૂછપરછ બાદ તથ્ય બહાર આવશે. હાલ તો વાપી GIDC પોલીસની મદદથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મહિલાની ધરપકડ કરી મુંબઈ રવાના થઈ હતી.
Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment