નર્મદા : ખેતીમાં થયેલ નુકશાનીના સર્વે બાદ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

New Update
નર્મદા : ખેતીમાં થયેલ નુકશાનીના સર્વે બાદ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

કૃષિમંત્રી રાઘવજી પટેલે લીધી અસરગ્રસ્તોની મુલાકાત

પાણી ભરાયેલા ખેતરોનું પણ કૃષિમંત્રીએ નિરીક્ષણ કર્યું

નુકશાની સર્વે બાદ ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે

નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકા વિસ્તારમાં થયેલા અતિભારે વરસાદના કારણે કરજણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેથી નાંદોદ તાલુકામાં કરજણ નદીના કિનારે આવેલા ગામોની ખેતીને નુકશાન થવા પામ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ કરજણ નદી કાંઠા વિસ્તારમાં આવતા કુલ 12 ગામમાં ખેતીને નુકશાન તેમજ જિલ્લાના 5 તાલુકાના 547 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદના કારણે ખેતીમાં થયેલ વ્યાપક નુકશાનનો તાગ મેળવવા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.

કૃષિમંત્રીએ ખેડૂતો સાથે મુલાકાત યોજી પાણી ભરાયેલા ખેતરોનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી નુકશાનીનો અહેવાલ મેળવ્યો હતો. આ દરમ્યાન કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, નુકશાનીના સર્વે મુજબ જે તે ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી તેમના ખાતામાં જ સહાય જમા કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી કિશાન સહાય, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ સહાય આપવાની કૃષિમંત્રીએ વાત કરી હતી. હાલ નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગની 22 ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા કુલ 64 ગામોમાં બાગાયત પાકના 5614 હેક્ટર વિસ્તારનો ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે તમામ માહિતી મેળવી સરકારી સહાયથી કોઈપણ ખેડૂત વંચિત રહી ન જાય તે માટે કૃષિમંત્રીએ આધિકારીઓને સૂચના આપી હતી.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories