"નર્મદે સર્વદે" : રાજ્ય માટે નર્મદા એક માત્ર "આશા", પાણીની અછત નહીં સર્જાય : રાજ્ય સરકાર
છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં વરસાદ નહિવત, વરસાદ ખેંચાતા અનેક ડેમમાં પાણીનું સ્તર પણ ઘટ્યું.
ગુજરાતમાં આ વર્ષે નહીવત ચોમાસાના કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં વરસાદ નથી અને ચાલુ મહિનામાં પણ વરસાદ પાછો ખેંચાતા નાના મોટા ડેમમાં પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે, ત્યારે વરસાદ નહિવત હોવા છતાં રાજ્યમાં પીવાના પાણીની કોઈ અછત નહિ સર્જાય તેવો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને હૈયા ધારણા આપતા જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ રાજ્યમાં ચોમાસુ નબળું છે અને સરેરાશ વરસાદ પણ નથી થયો, ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યમાં પીવાના પાણીને લઈને ચિંતા ઉભી થાય. પરંતુ વરસાદ ન પણ આવે તો પીવાના પાણી માટે કોઈ તકલીફ ઉભી નહિ થાય તેવું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. સરદાર સરોવર ડેમ દ્વારા રાજ્યમાં 4 કરોડ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત રાજ્યના ખેડૂતોને પણ સિંચાઇનું પાણી આપવામાં આવે છે. તો સાથે જ માલધારી અને પશુઓને પણ પાણી આપવામાં આવી રહ્યું છે.
જોકે, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ વર્ષે વરસાદ નહિવત છે. જેના પરિણામે નર્મદા કમાન્ડ વિસ્તારમાં ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. તેમ છતાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટના એંધાણ વર્તાય રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતાં આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઈ છે. 25 ઓગસ્ટ-2020ના રોજ નર્મદા ડેમની સપાટી 135.30 મીટર હતી, જ્યારે વર્તમાન સમયે નર્મદા ડેમની સપાટી 115.81 મીટરની આસપાસ છે. હાલમાં નર્મદા ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી છે. નર્મદા ડેમમાંથી રાજ્યના ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા છે, જેથી ખેડૂતો અને તંત્ર વરસાદ થાય એવી આશા રાખીને બેઠા છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ...
9 Aug 2022 10:47 AM GMTભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે...
9 Aug 2022 10:42 AM GMTઅંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા...
9 Aug 2022 10:33 AM GMTવડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં...
9 Aug 2022 10:30 AM GMTભરૂચ : કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દહેગામ ખાતે બ્રુડર...
9 Aug 2022 10:29 AM GMT