રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ એમ વ્યંકટેશન તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
BY Connect Gujarat Desk23 April 2023 5:23 PM GMT
X
Connect Gujarat Desk23 April 2023 5:23 PM GMT
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકાર ના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ વ્યંકટેશન તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી, સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, સોમેશ્વર પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ પર્વે આવેલા ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ એમ વ્યંકટેશન તથા ગુજરાત સરકાર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સાથે જ બિલ્વપત્રો પૂષ્પો સહિતની સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવની આરતી નો લ્હાવો લીધેલ, તમિલ સંગમાર્થીઓ નુ અભિવાદન કરેલ. સાથે જ સોમનાથ મહાદેવ ની વિવિધ ઉપચારો સાથે સોમેશ્વર મહાપૂજન કરેલ. મહાનુભાવોનું સ્વાગત સન્માન સૌરાષ્ટ્ર તમિલ સંગમ મોમેન્ટો, સોમનાથ મહાદેવની છબી સહિતથી ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ એ કરેલુ હતું.
Next Story