હવે, અમદાવાદ-વડોદરાની સવારી થશે વધુ મોંઘી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો..!

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સવારી મોંઘી બની છે. એક્સપ્રેસ-વેમાં જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

New Update
હવે, અમદાવાદ-વડોદરાની સવારી થશે વધુ મોંઘી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો..!

અમદાવાદ-વડોદરાની સવારી મોંઘી થવા જઈ રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વિવિધ પ્રકારના વાહનો માટે ટોલ ટેક્સ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે વડોદરાથી અમદાવાદ જતી ફિલ વ્હીલરના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સવારી મોંઘી બની છે. એક્સપ્રેસ-વેમાં જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હીકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્સ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદ સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. તો અમદાવાદથી આણંદની સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવતા વધુ એક મોંઘવારીથી લોકો પરેશાન થયા છે. ઓઇલના ભાવ ઘટે છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા નથી. ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે, જે ન થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.