છેલ્લા એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2.50 લાખ પ્રવાસીઓ નોંધાયા

વેકેશનના અંતિમ શની-રવીએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે.

New Update
સ્ટેચ્યુ ઓફ યુનિટી

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે એકમાત્ર પસંદગીનું સ્થળ

એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસન ધામ

છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ અનેક પ્રવાસીઓ અભિભૂત થયા

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વધ્યો

 ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બન્યું છે. છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે. હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં રાજ્યના અનેક પ્રવાસન ધામ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છેત્યારે વેકેશનના અંતિમ શની-રવીએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જે બતાવે છે કેદુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. પાછલા મહિના વાત કરીએ તો અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ SOU આવી ચૂક્યા છેત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે.

જોકે41થી 45 ડીગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા SOU સત્તા મંડળ દ્વારા SOUની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા હોય છે તે પ્રવાસીઓ પણ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે. જે પ્રવાસીઓ અહીં એક વાર આવે તેઓને વારંવાર આવવાનું મન પણ થાય છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.