પંચમહાલ: હાલોલમાં ફૂટવેરની દુકાનમાંથી મળી આવ્યા ગેસના 25 સિલિન્ડર

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ ફૂટવેરની દુકાનમાંથી પુરવઠા વિભાગે ગેસના 25 સિલિન્ડર કબજે કર્યા છે

New Update

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ ફૂટવેરની દુકાનમાંથી પુરવઠા વિભાગે ગેસના 25 સિલિન્ડર કબજે કર્યા છે

પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલોલમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હાલોલ પનોરમાં ચોકડી પાસે આવેલ  ફૂટવેરની દુકાનમાં  ગેસના સીલીન્ડર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જેમાં ફૂટવેરની દુકાનમાંથી ગેસના 25 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા.પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડર અને ટેમ્પો મળી રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.દુકાનદાર આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ક્યાંથી લાવ્યો એ સહિતની બાબતે પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે
Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.